Big Breaking : મહાભારતમાં શકુનિ મામાનો રોલ કરનાર અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, ટીવી ઈન્ડસ્ટ્રીમાં વ્યાપી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-06-05 12:09:29

મહાભારત સિરીયલમાં શકુનિ મામાની ભૂમિકા નિભાવનાર ગુફી પેન્ટલનું સોમવાર સવારે નિધન થયું છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ તેમના કોસ્ટાર સુરેન્દ્ર પાલ દ્વારા કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



1980થી બોલિવુડમાં શરૂ કર્યું હતું કરિયર!

ઘણા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુપમા ફેમ એક્ટર નીતેશ પાંડેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું તો એક જ દિવસે વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું હતું. ત્યારે આજે મહાભારતમાં શકુનિ મામાનો રોલ નિભાવનાર ગુફી પેન્ટલનું નિધન થયું છે. તબિયત બગડવાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. 1980થી તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. અનેક સિરીયલો તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. 


મહાભારત સિરીયલથી તેમને મળી પ્રસિદ્ધિ!

રફૂ ચક્કર ફિલ્મથી બોલિવુડ ડેબ્યુથી ગુફીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ મહાભારતમાં રોલ કર્યા બાદ તેમને ઓળખાણ મળી હતી. 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારત સિરીયલમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીયલને ભલે આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ તેમને દર્શકો શકુનિ મામા તરીકે ઓળખે છે. અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.  


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે