Big Breaking: તલાટીની પરીક્ષા હવે 7મી મેના રોજ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-04-12 17:27:29

તલાટીની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 7 મેના રોજ યોજાવાની છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા હસમુખ પટેલે કહ્યું કે જો વર્ગ ખંડની વ્યવસ્થા નહીં થાય તો પરીક્ષાઓ નહીં યોજાય. ત્યારે આ તલાટીને લઈ મહત્વની માહિતી મળી હતી.

        

30 એપ્રિલના રોજ યોજાવાની હતી પરીક્ષા 

જુનિયર ક્લાર્કની પરીક્ષા અનેક વર્ષો બાદ યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે સમયે હસમુખ પટેલે તલાટી અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે તલાટીની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ આ તલાટીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 


ઋષિકેશ પટેલેે આપી આ અંગે જાણકારી

30 એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે આ પરીક્ષા 7 મેના રોજ યોજાવાની છે. ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફર થવાની જાણકારી ઋષિકેશ પટેલે આપી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા પરીક્ષા પાછળ ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે શું ખરેખર 7 મેના રોજ પરીક્ષાનું આયોજન થશે? શું પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા આપી શકશે? આ બધા વચ્ચે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે 7 મેના રોજ NEETની પરીક્ષા પણ યોજાવાની છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.