લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને મોટો ઝટકો, પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન


  • Published By :
  • Published Date : 2024-02-08 15:10:02

લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.


પંજાબમાં AAP એકલા હાથે લડશે


સંદીપ પાઠકે આજ તક પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સીટ શેરિંગ કમિટીએ પંજાબમાં ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે 13 લોકસભા સીટો ધરાવતા પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ ત્યાં તેમની સાથે ગઠબંધન કરવા માંગતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થવાના સમાચારો વચ્ચે , ઈન્ડિયા ટુડે - સી વોટરનો ઓફ ધ નેશન સર્વે પણ થયો છે જેમાં બંને પક્ષોને સમાન સંખ્યામાં બેઠકો મળતી દેખાઈ રહી છે.


ઈન્ડિયા ટુડે-સી વોટરનો સર્વે શું કહે છે?


પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. જો આજે અહીં ચૂંટણી યોજાઈ હોત તો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને 27.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે AAPને છેલ્લી ચૂંટણીમાં એક બેઠક મળી હતી, તે વધીને પાંચ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળ્યા છે. સીટોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને પાંચ સીટ, ભાજપને બે સીટ અને અન્યને એક સીટ મળી શકે છે. પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી હતી. તે સિવાય કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. આ વખતે તે ઘટીને 5 બેઠકો રહેવાનો અંદાજ છે, જ્યારે અકાલી દળને બે બેઠકો મળી હતી, જે એક પર પહોંચી રહી છે. તે જ સમયે, ભાજપ તેની બંને બેઠકો બચાવી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે