કોંગ્રેસને પડ્યો મોટો ફટકો! પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીએ કેસરિયો કર્યો ધારણ, સી.આર.પાટીલે કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-06-19 14:06:24

થોડા દિવસો પહેલા બનાસકાંઠાના તેમજ કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. હજી સુધી એવું લાગતું હતું કે આ બધી અફવાઓ છે પરંતુ તે હવે સાચી પડી છે. સી.આર.પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ અચાનક કોંગ્રેસનો છેડો ફાટવાથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.     



સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવાના છે ત્યારે કોંગ્રેસની સાથે 35 જેટલા વર્ષોથી જોડાયેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસો પહેલા તેમણે પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી અને તે બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સી. આર પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. 


ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું - પાટીલ 

ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા સી.આર.પાટીલે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થયા, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. ગોવાભાઈએ આવવામાં થોડું મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.