આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:03:35

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી દિલ્લીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 


દિલ્લીના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડી દેવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે. આજે બપોરથી જ સમાચારો મળી રહ્યા હતા કે રાજભા ઝાલા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે."


આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડશે મોટો ફટકો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં મોટું નામ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓ અમુક ખાસ કારણોની સાથે જોડાયા હતા. શરૂઆતથી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ મોટા પદ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે "AAPનો CM" કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરી દીધા હતા.ત્યારે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે રાજભા ઝાલા પણ નારાજ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. રાભા ઝાલાએ એવું કહીને પોતાની વ્યથા ઠાલવી હતી કે આમ આદમી પાર્ટી મારો ઉપયોગ નથી કરી રહ્યું.


ગુજરાતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ગુજરાતની રાજનીતિ હવે બદલાતી જશે. આજે દાખલો નજર સામે છે. ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીમાં ઘણા બલદાવો આવી શકે છે અને અનેક નેતાઓના મોઢામાંથી ધાર્મિક ભાવનાઓ ભડકાવતા નિવેદનો નિકળશે, પાર્ટીઓ માટે આક્ષેપ પ્રતિઆક્ષેપો વધશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા તેનો સીધો મતલબ છે રાજકોટમાં કોંગ્રેસને હવે નુકસાન નથી થવાનું. હવે રાજનીતિમાં શું-શું બદલાવો આવશે તે જોવાનું રહેશે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.