આતંકી અને ગેંગસ્ટર વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી! દેશના 6 રાજ્યોમાં હાથ ધરી તપાસ! જાણો NIAની ટીમે ક્યા કર્યું સર્ચ ઓપરેશન?


  • Published By :
  • Published Date : 2023-05-17 13:26:33

દેશના અનેક રાજ્યોમાં NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદી અને ગેંગસ્ટર સાથે સંકળાયેલા લોકોનો સપાટો બોલાવા એનઆઈએ દ્વારા દેશભરમાં લગભગ 100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ.નીરજ બવાના સહિતના ગેંગસ્ટરોના નજીકનાઓ પર કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે.

   

દેશના 6 રાજ્યોમાં એનઆઈના દરોડા!

દેશના 6 રાજ્યોમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 100થી વધારે જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ અને ચંડીગઢમાં 65 જગ્યાઓ પર, ઉત્તરપ્રદેશમાં 3 જગ્યાઓ પર, રાજસ્થાનમાં 18 જગ્યાઓ પર, મધ્યપ્રદેશમાં 2 જગ્યાઓ પર એનઆઈએની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.     

9મેના રોજ જમ્મુ કાશ્મીરમાં હાથ ધરી હતી તપાસ! 

ઉલ્લેખનિય છે કે 9 મેના રોજ એનઆઈએ દ્વારા ટેટર ફન્ડિંગ અને પાકિસ્તાનથી થઈ રહેલી આતંકી સાજિશને લઈ જમ્મુ કાશ્મીરના 7 જિલ્લાઓમાં 8 આતંકી સંગઠનોની 15 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 100થી વધારે જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.