UP લખીમપુરમાં મોટી દુર્ઘટના 8ના મોત તો 30 ઘાયલ.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:45:15

 

ઉત્તરપ્રદેશના લખીમપૂરમાં બુધવારે મોટી દુર્ઘટના બની હતી. બ્રિજ પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ચીથરા ઊડી ગયા હતા. બસમાં ડ્રાઈવર સહિત 65 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોનાં મોત થઈ ગયાં છે. 30 લોકો ઘાયલ થયાની આશંકા વર્તાઈ રહી છે.

 

અઠરામણને કારણે બસ કચ્ચરઘાણ !!!

અથડામણને કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો અને અનેક મૃતદેહો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસે બસની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. ટ્રક પંજાબ તરફથી આવી રહ્યો હતો. અને દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે.

 

દુર્ઘટનામાં કેટલાના થયા મોત ?

દુર્ઘટનામાં ચાર યુવાન, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. અન્ય બે મૃતદેહ વિશે પૂરી જાણકારી નથી.  ઉપરાંત 30 જેવા લોકો ઘાયલ થયા છે .






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે