UP લખીમપુરમાં મોટી દુર્ઘટના 8ના મોત તો 30 ઘાયલ.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:45:15

 

ઉત્તરપ્રદેશના લખીમપૂરમાં બુધવારે મોટી દુર્ઘટના બની હતી. બ્રિજ પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ચીથરા ઊડી ગયા હતા. બસમાં ડ્રાઈવર સહિત 65 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોનાં મોત થઈ ગયાં છે. 30 લોકો ઘાયલ થયાની આશંકા વર્તાઈ રહી છે.

 

અઠરામણને કારણે બસ કચ્ચરઘાણ !!!

અથડામણને કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો અને અનેક મૃતદેહો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસે બસની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. ટ્રક પંજાબ તરફથી આવી રહ્યો હતો. અને દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે.

 

દુર્ઘટનામાં કેટલાના થયા મોત ?

દુર્ઘટનામાં ચાર યુવાન, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. અન્ય બે મૃતદેહ વિશે પૂરી જાણકારી નથી.  ઉપરાંત 30 જેવા લોકો ઘાયલ થયા છે .






નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.