નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ વિરોધ કરી રહેલા વિપક્ષ પર ભૂપેન્દ્ર પટેલે સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે?


  • Published By :
  • Published Date : 2023-05-25 14:57:47

28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ આ કાર્યક્રમ રાજકીય અખાડામાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દેશની 19 જેટલી રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમથી દૂર રહેવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ થઈ રહેલા વિરોધને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત નિંદનીય છે. વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે આપ્યું નિવેદન!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા વિપક્ષી પાર્ટીઓના આ મામલે નિવેદનો સામે આવી રહ્યા છે. 19 જેટલી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ વાત પર પીએમ મોદીએ વાત કરી હતી તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સંસદ ભવનના નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે.  સંસદભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વિપક્ષની જાહેરાત નિંદનીય છે. નવા સંસદ ભવનનો વિરોધ દેશની 140 કરોડ ભારતીયઓનું અપમાન સમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓના દુરંદેશી હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના નવનિર્મિત સંકુલને આગામી 28મેના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે. 


વિપક્ષી પાર્ટીઓ પર ભૂપેન્દ્ર પટેલે સાધ્યું નિશાન! 

વિપક્ષો પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવતો વિરોધએ દેશના મહાન લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ પર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હૃદયના ધબકારા સમાન છે. અહીં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે, જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા અનેક વર્ષોમાં વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી વિપક્ષની માગ!     

મહત્વનું છે કે વિપક્ષી પક્ષ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે. વિપક્ષોનું કહેવું છે કે વડાપ્રધાન ઉદ્ધાટન કરશે તો દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન થશે, લોકશાહીની આત્મા મરી જશે. તે સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટનની વાત તો દૂર રહી તેમને આમંત્રણ પણ નથી આપ્યું, સંસદ ભવન બંધારણના મૂલ્યોથી બને છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!