શપથ વિધી પહેલા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ કમિટી ખારીજ, 12 ડિસેમ્બરે બનશે નવી સરકાર


  • Published By :
  • Published Date : 2022-12-09 15:37:54

પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ભાજપે પ્રચંડ બહુમતી સાથે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતમાં નવી સરકાર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે પોતાનું રાજીનામું આચાર્ય દેવવ્રતને સુપ્રત કર્યું હતું. અને 12 ડિસેમ્બરના રોજ નવા મંત્રી મંડળની શપથ વિધી સમારોહ યોજાવાનો છે.

કેબિનેટ મંત્રીઓએ પણ આપ્યું રાજીનામું 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપને 156 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 17 સીટો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું હતું. નવી સરકાર બને તે પહેલા મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. ઉપરાંત આવતી કાલે કમલમ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે જેમાં મંત્રીમંડળ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.