Ayodhya પહોંચ્યા Bhupendra Patel, CMએ લીધા રામલલ્લાના આશીર્વાદ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-11-25 16:02:10

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે છે. રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિ થોડા સમય બાદ મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે પરંતુ તેની પહેલા મંદિરના દર્શને, એ સ્થળ જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાંના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ રામલલ્લાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે.

અયોધ્યા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  

થોડા દિવસો બાદ એ ક્ષણ આવવાની છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આતુરતાથી લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર પીએમ મોદી રામલલ્લાની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. ટાઈમ અને તારીખ આવી ગયા છે માત્ર એ દિવસની પ્રતિક્ષા થઈ રહી છે. મંદિરમાં ભગવાન જાય તે પહેલા ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.