Bhupat Bhayani ભાજપમાં જઈ થશે પવિત્ર! આ તારીખે C.R.Patil અને મુખ્યમંત્રીની હાજરીમાં કરશે કેસરિયો ધારણ


  • Published By :
  • Published Date : 2024-01-17 15:43:36

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના 2 હજાર જેટલા કાર્યકર્તાઓ, નેતાઓએ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. રાજકોટ કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટી સાથેનો છેડો પણ ફાડી દીધો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3જી ફ્રેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરવાના છે. 

ભાજપમાં જોડાવની વાત અફવા છે: ભૂપત ભયાણી | Bhupat Bhaani termed the talk of  joining BJP as a rumour

3જી ફ્રેબુઆરીએ ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. તેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ બીજેપીના ફાળે ગઈ છે. 156 મેળવ્યા બાદ પણ જાણે ભાજપને શાંતી નથી તેવું માનવામાં આવી રહ્યું છે! બે ધારાસભ્યએ તો પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું જે બાદ એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે લાગતું હતું કે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેવું ન થયું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3 ફ્રેબુઆરીએ તે ભાજપમાં જોડાવાના છે. ભૂપત ભાયાણી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરવાના છે. 


અપક્ષના ધારાસભ્ય પણ ગમે ત્યારે આપી શકે છે રાજીનામું 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો હાંસલ કરી હતી. આપે તે પાંચેય ધારાસભ્યને પાંડવ ગણાવ્યા હતા ત્યારે પાંચમાંથી એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી વાતો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં તે જોડાઈ શકે છે. ત્યારે 3જી ફ્રેબુઆરીએ તે ભાજપના થવાના છે. ભૂપત ભાયાણીએ આ અંગે જણાવ્યું છે કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે. મારી સાથે 2 હજાર જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. એવી પણ અટકળો ચાલી રહી છે કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ક્યારે ભાજપમાં જોડાવાના છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.