વીડિયો બનાવી આપના ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે ચાલતી અફવા પર આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-12 09:55:53

ગુજરાત વિધાનસભાના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 17 સીટો મેળવી છે. આજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવાનું છે. ત્યારે કાલે એવી વાતો સામે આવી રહી હતી કે વિસાવદરના આપના નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભૂપત ભાયાણીએ વાતનો ઈન્કાર કર્યો છે. ઉપરાંત આ અંગે વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.



હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું - ભૂપત ભાયાણી 

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. દરેક પાર્ટીએ પોતાની રીતે મહેનત કરી હતી. ભાજપને આ વખતે ઐતિહાસિક જીત મેળવી તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 ભાજપને ફાળે ગઈ છે. આપે પણ ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે એવી વાતો ચર્ચાઈ રહી હતી કે વિસાવદરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાતને ભૂપત ભાયાણીએ અફવા ગણાવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. 



વીડિયો બનાવી આપી પોતાની પ્રતિક્રિયા 

આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર આ અંગે વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા સમાચાર વહેતા થયા છે. જનતાએ વિશ્વાસ રાખી મને જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.