કચ્છીઓની લાગણી સાથે જોડાયેલું હમીરસર તળાવ થયું ઓવરફ્લો, કચ્છીઓમાં વ્યાપી ઉઠી ખુશીની લહેર, નગરશેઠ કરશે પાણીના વધામણા


  • Published By :
  • Published Date : 2023-07-09 18:26:07

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેને લઈ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનેક ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જે ક્ષણની કચ્છીઓ રાહ જોતા હોય છે તે ક્ષણ રવિવાર બપોરે આવી ગઈ છે. જે તળાવ સાથે કચ્છીઓની લાગણી જોડાયેલી છે તેવો હમીરસર તળાવ પાણીથી છલોછલ છલકાઈ ગયો છે. કચ્છનો તળાવ છલાકાતા કચ્છીઓમાં વિશેષ પ્રકારની લાગણી જોવા મળતી હોય છે, તળાવ ઓવરફ્લો થતાં તેઓ  માને છે કે ખરા અર્થમાં મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે.

 


છલોછલ ભરાયેલા તળાવને જોવા લોકો ઉમટ્યા!

સમગ્ર રાજ્યમાં વરસાદે સારી એવી પધરામણી કરી છે. અનેક જિલ્લાઓમાં અનેક ટકા વરસાદ ચોમાસાની શરૂઆત થતાં જ વરસી ગયો હતો. હજી સુધી વરસેલા વરસાદને કારણે ભુજમાં સરેરાશ વાર્ષિક વરસાદના 144 ટકા વરસાદ વરસી ગયો છે.  સારો એવો વરસાદ થતાં હમીરસર તળાવ ફરી છલકાતું થયું છે. પાણીથી છલોછલ થયેલા તળાવને જોવા કચ્છવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તળાવમાં છલકાતા પાણીના દર્શન કરી કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઐતિહાસિક તળાવ સાથે જોડાયેલી છે કચ્છીઓની લાગણી 

હમીરસર તળાવને કચ્છી માત્ર તળાવ નથી માનતા પરંતુ તેની તળાવ સાથે સદીઓની લાગણીઓ જોડાયેલી છે. સદીઓ પહેલા રાજવી રાવ ખેંગારજીએ આ તળાવ બંધાવ્યું હતું. પિતાની યાદમાં તેમણે તળાવનું નામ રાવ હમીરજીના નામ રાખ્યું હતું. સદીઓ પહેલા બનેલા આ તળાવે પણ કચ્છીનો સાથ નથી છોડ્યો. તળાવે કચ્છના લોકોને પાણી પૂરૂં પાડ્યું છે.  આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે કચ્છી ભલેને દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય પરંતુ જ્યારે તળાવ પાણીથી છલકાય ત્યારે તે ઘરે કંસાર બનાવી પાણીના વધામણા કરે છે.  


કચ્છની સરકારી કચેરીમાં આવતી કાલે રહેશે રજા 

ચોમાસાની શરૂઆત થાય ત્યારથી કચ્છીઓ હમીરસર તળાવ છલકાય તેની રાહ જોતા હોય છે. ગમે તે મહિનો કેમ ન ચાલતો હોય પરંતુ જ્યારે તળાવમાં પાણી છલકાય તે દિવસને તેઓ દિવાળીની જેમ ઉજવે છે. પહેલા એટલે કે રાજાના સમયમાં રાજવી પરિવાર તળાવના કિનારે આવી પાણીના વધામણા કરતા હતા પરંતુ સમય બદલાયો એટલે હવે પાણીના વધામણા નગરપાલિકાના પ્રમુખ કરે છે. શાસ્ત્રોક્ત વિધીથી પાણીને આવકારવામાં આવે છે. આ તળાવ છલકાય તેના બીજા દિવસે સમગ્ર કચ્છની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.