ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો, દેવબંદમાં અજાણ્યા લોકોએ કાફલા પર કર્યું ફાયરિંગ


  • Published By :
  • Published Date : 2023-06-28 18:34:11

ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર જીવલેણ હુમલો થયો છે. તેમની કમરમાં ગોળી વાગી છે, તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભીમ આર્મી ચીફ પોતાની કારમાં કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા


એસપી દેહાંત સાગર જૈને જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદ દેવબંદની ગાંધી કોલોનીમાં કોઈને મળવા ગયા હતા. ત્યાંથી નીકળતી વખતે બે યુવકોએ તેના પર ગોળીબાર કર્યો હતો, આ ગોળીબારમાં છરા વાગવાથી તે ઘાયલ થયા હતા. હુમલાખોરો કારમાં નાસી ગયા હતા. તેમને દેવબંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હુમલાખોરોની શોધમાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.