ભીડનું ફર્સ્ટ લૂક ટીઝર થયું રિલીઝ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે મુખ્યભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-03-03 16:33:16

થોડા વર્ષો પહેલા કોરોના મહામારીને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગચું હતું. લોકડાઉન સમયે મજૂરો રાજ્યો છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. કેમ કે તેમની પાસે ન હતા પૈસા ન હતું જમાવાનું. આ વાતો પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની. આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની તુલના દેશના ભાગલા પડ્યા તે સમય સાથે કરી છે.

 


24 માર્ચના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કરવામાં આવ્યું છે. રાજકુમારે કેપ્શન સાથે ટીઝરને રિલીઝ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે હમ કહાની બતા રહે હૈ ઉસ વક્ત કી જબ બટવારા દેશ મેં નહીં, સમાજ મેં હુઆ થા. ભીડ અંધકાર સમયની વાર્તા- બ્લેક એન્ડ વ્હાઈટમાં. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝરમાં મોનોક્રોમ ટોન છે અને રેલ્વે ટ્રેક અને બસ સ્ટોપ પર ભીડ કરતા લોકોના સ્નેપશોટ છે. વોઈસઓવરમાં કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્કીન પર જે સ્નેપશોર્ટ જોઈ રહ્યા છીએ તે 1947ના ભારતના ભાગલાના નથી, તે 2020ના છે જ્યારે કોરોના વાયરલ કેસો વધતા રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જેને કારણે હજારો લોકો ફસાયા હતા.        


ફિલ્મના અનેક ભાગ જોવા મળી શકે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં 

આ ફિલ્મમાં બીજો કયા પાત્રો છે અને તેને કોણ ભજવી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી. ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું હતું કે ભીડ એ સૌથી ખતરનાક સમયની વાર્તા છે જેણે માનવતા માટે બધું બદલી નાખ્યું. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ બતાવવાનો હતો કે કેવી રીતે ભારતના લોકડાઉન દરમિયાન સામાજિક અસમાનતાના દ્રશ્યો 1947ના ભારતના ભાગલા દરમિયાન લોકો જેમાંથી પસાર થયા હતા તેના જેવા જ હતા. આ વાર્તા એવા લોકોની છે જેમનું જીવન ક્ષણભરમાં બદલાઈ ગયું અને જ્યારે દેશની અંદર સરહદ ખેંચાઈ ત્યારે તેમના જીવનમાંથી રંગ ઉડી ગયો.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે