ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર SOGએ યુવરાજસિંહને ફટકાર્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 20:38:46

ડમી રાઇટર કાંડ મામલે ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. ભાવનગર SOGએ યુવરાજસિંહને આવતીકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે, તેમજ ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે. ડમી રાઇટર કાંડમાં યુવરાજસિંહ પર નાણાકીય વ્યવહાર કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કોણે-કોણે નાણાકીય વ્યવહાર કર્યા છે તેની હાલ તપાસ ચાલી રહી છે.  


યુવરાજસિંહને સમન્સ શા માટે?

 

ડમી રાઇટર કાંડ મામલે બિપિન ત્રિવેદીની એક વ્યક્તિએ એક વીડિયો વાયરલ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે મોટી રકમ લીધી છે. આ ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 55 લાખમાં આ ડીલ થઈ હતી. આ પેમેન્ટ જુદા-જુદા ત્રણ તબક્કામાં થયું હતું. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા.


ભાવનગર પોલીસની SITએ આરંભી તપાસ


ડમી કાંડમાં તપાસનો રેલો ભાવનગર પહોંચતા ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે  SITની રચના કરી હતી. અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી કાંડ મામલે પોલીસે 36 આરોપી સામે FIR નોંધી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.