રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SOGની કાર્યવાહી, પ્રથમવાર એક યુવતી અને સગીર ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-06-26 22:56:52

ગુજરાતના બહુચર્ચિત એવા ભાવનગર ડમીકાંડમાં હવે વધુ એક ધરપકડ થઇ છે. ભાવનગર પોલીસે આજે એક મહિલા અને એક સગીરની ધરપકડ  કરી છે. ભાવનગર SOGની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં જે મહિલાની ધરપકડ થઇ છે તે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન ધાંધલા છે. અને તે એક સગીર છે. બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છે. 


સંડોવણી કઈ રીતે સામે આવી?


આખા કાવતરમાં બંનેની સંડોવણી એ પ્રકારની છે કે જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ 10ની પરીક્ષા મિલન બારૈયાએ આપી હતી, અને જે એક સગીર પકડાયો છે, તેની ધોરણ-12ની પરીક્ષા પણ મિલન બારૈયાએ આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને જેમ જેમ તપાસ વધી રહી છે તેમ તેમ આરોપીઓની સંખ્યા વધતી જાય છે. હવે આરોપીઓની સંખ્યા 60ની આસપાસ પહોંચી છે.


સત્તાના સ્થાને બેસેલા લોકોને સમન્સ ક્યારે ?


આ સમગ્ર ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું અને તે પછીથી ડમીકાંડના આરોપીઓ પાસેથી ઉમેદવારો પાસેથી તોડ કરવાના આરોપસર જેલમાં છે. જો કે તેમના જામીન અંગેના કોઇ સમાચાર નથી. ત્યારે ભાવનગરની પોલીસને એક સવાલ બિલકુલ કરવો છે કે જ્યારે આ કાંડ ચાલી રહ્યું હતું ત્યારે જે લોકો સત્તાના સ્થાને બેસેલા હતા તેમને ક્યારે સમન્સ પાઠવશો?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.