India-Pakistan મેચને લઈ ભડક્યા Bhavnagarના યુવરાજ જયવીરરાજસિંહ, સાંભળો શહીદોને યાદ કરતા તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-14 13:16:32

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે ટ્વિટર પર બોયકોટ Ind-Pak મેચ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આ મેચને લઈ વિરોધ દર્શાવ્યો છે. મેચનો વિરોધ કરતા ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

પાકિસ્તાની ટીમના સ્વાગતનો કર્યો હતો વિરોધ  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. થોડા કલાકો બાદ બંને ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ફેસ કરતી હશે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક હસ્તીઓ, એવા લોકો એવા પણ છે જે આ મેચનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે પણ અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત હુમલો કરવામાં આવે છે જેને કારણે અનેક જવાનો શહીદ થાય છે. પાકિસ્તાની ટીમનું સ્વાગત ન થવું જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો છે. 



ભાવનગરના યુવરાજે મેચનો કર્યો વિરોધ 

ત્યારે મેચને લઈ ભાવનગરના યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. આ મેચનો તેમણે વિરોધ કર્યો છે. પોતાના અભિપ્રાય આપતા યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?  

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યો હતો વિરોધ 

યુવરાજ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક દ્વારા પણ આ મેચનો વિરોધ કરવામાં આવ્યો છે. એવો મેસેજ સામે આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તમારી ક્રિકેટ ટીમને ઘરે બેસીને પણ ચિયર્શ અપ કરી શકો છો. આપણા ગ્રાઉન્ડ પર મેચ નાં જોવાથી દુનિયા આખામાં મેસેજ જશે કે આપણા દેશ અને સૈનિકોની સુરક્ષા અને સાર્વભૌમત્વનાં બાબતે આપણે ગંભીર છીએ કે નહી? ત્યાં બોર્ડર પર દેશ નાં જવાનો વ્યક્તિગત દુશ્મની નિભાવવા ખડે પગે નથી ઉભા પણ તમારાં આત્મસન્માન અને સુરક્ષા માટે બલિદાન આપવા ઉભા રહે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેચ યોજાશે તો મેદાનની પીચ ખોદી નાખીશું.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!