India-Pakistan મેચને લઈ ભડક્યા Bhavnagarના યુવરાજ જયવીરરાજસિંહ, સાંભળો શહીદોને યાદ કરતા તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-14 13:16:32

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે ટ્વિટર પર બોયકોટ Ind-Pak મેચ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આ મેચને લઈ વિરોધ દર્શાવ્યો છે. મેચનો વિરોધ કરતા ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

પાકિસ્તાની ટીમના સ્વાગતનો કર્યો હતો વિરોધ  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. થોડા કલાકો બાદ બંને ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ફેસ કરતી હશે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક હસ્તીઓ, એવા લોકો એવા પણ છે જે આ મેચનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે પણ અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત હુમલો કરવામાં આવે છે જેને કારણે અનેક જવાનો શહીદ થાય છે. પાકિસ્તાની ટીમનું સ્વાગત ન થવું જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો છે. 



ભાવનગરના યુવરાજે મેચનો કર્યો વિરોધ 

ત્યારે મેચને લઈ ભાવનગરના યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. આ મેચનો તેમણે વિરોધ કર્યો છે. પોતાના અભિપ્રાય આપતા યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?  

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યો હતો વિરોધ 

યુવરાજ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક દ્વારા પણ આ મેચનો વિરોધ કરવામાં આવ્યો છે. એવો મેસેજ સામે આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તમારી ક્રિકેટ ટીમને ઘરે બેસીને પણ ચિયર્શ અપ કરી શકો છો. આપણા ગ્રાઉન્ડ પર મેચ નાં જોવાથી દુનિયા આખામાં મેસેજ જશે કે આપણા દેશ અને સૈનિકોની સુરક્ષા અને સાર્વભૌમત્વનાં બાબતે આપણે ગંભીર છીએ કે નહી? ત્યાં બોર્ડર પર દેશ નાં જવાનો વ્યક્તિગત દુશ્મની નિભાવવા ખડે પગે નથી ઉભા પણ તમારાં આત્મસન્માન અને સુરક્ષા માટે બલિદાન આપવા ઉભા રહે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેચ યોજાશે તો મેદાનની પીચ ખોદી નાખીશું.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.