ભાવનગરમાં નિકળી ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા, ભગવાનનાં દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-06-20 14:18:52

દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા આજે ભાવનગર શહેરમાં નિકળી હતી. ભાવનગર શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી વિધિવત પ્રારંભ થયો હતો. ભાવનગરમાં "છેડાપોરા" અને "પહિન્દ" વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી અને મહારાજા વિજયરાજસિંહજીના હાથે પહિન્દ વિધિ કરવામાં આવી હતી. ભાવનગરમાં 17.5 કિલોમીટરના રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ  ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધરીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા સંતો-મહંતો સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.


ભાવનગરના 17.5 કિ.મીના રૂટ પર રથયાત્રા


ભગવાન જગન્નાથજીની રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટ પર નિકળી ત્યારે ભાવિક ભક્તો દ્વારા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, રાત્રીના રથયાત્રા ભગવાનેશ્વર મંદિર ખાતે પરત ફરશે. રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર રૂટ પર કેસરિયા ધજા અને કમાનો નાખી સુશોભન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત શહેરની મુખ્ય બજારમાં આકર્ષક કમાનો અને વિશાળ કટ આઉ્‌ટો સહિત પણ લગાવી દેવામાં આવ્યા છે, આજે રાત્રીના ઘોઘાગેટ ચોક ખાતે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રથયાત્રામાં માનવ મહેરામણ ભગવાનનાં દર્શન માટે ઉમટી પડ્યું હતું. રથયાત્રા સુભાષનગર નિજ મંદિરે રાત્રે 10 વાગે નિજ મંદિર પરત ફરશે.


રથયાત્રામાં આ રહ્યા મહત્વના આકર્ષણો


ભાવનગરની રથયાત્રામાં મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, તેમજ 100થી વધુ ટ્રક, બે જીપ, 20 ટ્રેક્ટર, 15 છકરડા, 2 ગજરાજ, 6 ઘોડા અને 4 અખાડા સહિત જુદી જુદી રાજ મંડળીઓ અને ગણેશ ક્રીડા મંડળ દ્વારા જીમનાસ્ટીક, સ્કેટિંગના દાવપેચ, બોડી બિલ્ડર્સ, સત્સંગ મંડળો, ડોલ નગારા તેમજ ડીજે સિસ્ટમએ લોકોમાં ગજબનું આકર્ષણ જગાવ્યું હતું


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


ભાવનગરમાં રથયાત્રાની સુરક્ષાને લઇ ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા જડબેસલાક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં DySP–15, PI–44, PSI–144, પોલીસ- 2000થી વધુ (મહીલા સહિત ), SRP-5 કંપની, BSF-3 કંપની, હોમગાર્ડ-1500થી વધુ (મહીલા સહિત), વિડીયોગ્રાફરો-24, ડ્રોન–3, વોચ ટાવર–12, ગ્રુપ+ગામા મોબાઇલ- 38, બાઇક પેટ્રોલિંગ -15, ઘોડેસવાર–32, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–12, મેડિકલ ટીમ-4, ફાયર ફાયટર-4 તૈનાત કરવામાં આવ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!