ભાવનગર ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, FIRનાં 36 પૈકી 23 અને અન્ય 24 મળી કુલ 47 આરોપી ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-05-18 11:46:12

ભાવનગર જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી ચાલતા ડમીકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રોજ નવા સમાચારો આવતા રહે છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ સપાટો બોલાવી રહી છે. ભાવનગર SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે. 


22 વર્ષીય યુવકની ધરપકડ


ભાવનગર પોલીસે તળાજા તાલુકાના સથરા ગામના 22વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી નિલેષભાઇ ઘનશ્યામભાઇ જાનીને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. નિલેષ જાનીની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થઈ શકે છે. બે દિવસ અગાઉ પણ ડમીકાડમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 36 લોકો સામે FIR થયેલ છે, તેમાંથી 23 ઝડપાયા છે, જ્યારે 24 લોકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ અગાઉ બે આરોપીની કરી હતી ધરપકડ

 

પોલીસે બે દિવસ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ગ્રામ્ય ડાક સેવક તરીકે નોકરી કરે છે. પોલીસે સાગર બાલાશંકર પડ્યા (ઉં.વ 12, રહે. ટીમાણા) અને પંકજ પ્રેમજીભાઈ ધોરીયા (ઉં.વ 23 રહે.ખીતાલા)ને ઝડપી પાડ્યા હતા. જેમાં સાગર તલગાજરડામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડ મામલે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે