ભાવનગરના ડોક્ટરનો ગળેફાંસો ખાઈ આપઘાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:44:25

થોડા સમય પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે આપઘાત કર્યો હતો ત્યારે આજે ભાવનગરથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિંહોર ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.  


હરીઓમ સોસાયટી લુવારવાવ રોડ મોરલા પાસે બાપા સીતારામ ક્લિનિક ચલાવતા ડોક્ટર યુવરાજસિંહ રાઠોડે દવાખાના અંદર ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્થાનિકોને આપઘાતનું કારણ પૂછતા કોઈ માહિતી નથી મળી. ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કર્યાની માહિતી અત્યારે મળી રહી છે. ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર માનસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસ મોતના કારણની માહિતી મેળવી રહી છે. ડોક્ટરે આપઘાત કર્યાના કારણો પોલીસ તપાસમાં બહાર આવી શકે તેવી સંભાવના છે. આપઘાત કરનાર યુવક ઢૂંઢસર ગામના વતની હોવાની માહિતી મળી રહી છે.  


ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસ પહેલા જ ચારિત્ર્ય પર શંકા કરવાથી કંટાળી સુરતમાં 8 વર્ષના દિકરા સાથે માતાએ કૂદીને આપઘાત કર્યો હતો, વડોદરાના મુજમહુડા વિસ્તારમાં 26 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. અઠવાડિયા પહેલા બનાસકાંઠામાં નર્મદા નદીમાં કૂદીને સામૂહિક આપઘાતની ઘટના બની હતી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.