Bhavnagar : આંગણવાડીમાં ભણતા બાળકોની આવી પરિસ્થિતિ જોઈ દયા આવી જશે! જર્જરિત દુકાનમાં ભણવા ભૂલકાઓ મજબૂર!


  • Published By :
  • Published Date : 2024-02-08 13:50:31

શિક્ષા મેળવવી બાળકનો અધિકાર હોય છે. બાળક જો શિક્ષિત હશે તો  સમાજ શિક્ષિત બનશે અને દેશ ઉજ્જવળ બનશે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રુપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે. અનેક શહેરોમાં તો સારી શાળાની સુવિધાઓ હોય છે પરંતુ ગામડાઓની અનેક શાળાઓ એવી હોય છે જે જર્જરિત હાલતમાં હોય છે અથવા તો શાળા જ નથી હોતી. દુકાનમાં ભણવા માટે ભાવિ મજબૂર બન્યા છે. આવી ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી દુકાનમાં ભણી રહ્યા છે. 

વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ...

પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે. બાળકો ભણવા માટે કદાચ પ્રોત્સાહિત પણ થતા હશે પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ દુકાનમાં ભણતા હોય છે. શાળાની સુવિધા ન હોવાને કારણે ભાવનગરના શિવ નગર વિસ્તારમાં આવેલી 151 નંબરની આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.

જર્જરિત દુકાનમાં બેસી ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર!  

ગુજરાતને વિકસીત રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આજે પણ અનેક એવા શહેરો છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી. કોઈ જગ્યા પર  વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓ બંને છે ત્યાં શાળાઓ નથી... ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાના નાના ભૂલકાઓ દુકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત આંગણવાડીમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


પૂર્વ શિક્ષણમંત્રીનું હોમ ટાઉન હોવા છતાંય..

મનપાને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવી તો પણ કાર્યવાહી ન થતા તેનો વીડિયો વાયરલ વાલીઓએ જાતે કર્યો. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન ભાવનગર હતું તેમ છતાંય દુકાનમાં ભણવા માટે દેશનું ભાવિ મજબૂર બન્યું છે. 


કરોડોની કરાય છે ફાળવણી પરંતુ નથી બદલાતી પરિસ્થિતિ!

મહત્વનું છે કે શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં હોય છે. શાળામાં પ્રાથમિક સુવિધા નથી હોતી જેને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.