ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાલી ખુરશી જોઈ અકળાયા! પદાધિકારીઓને ખખડાવ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-10-15 17:11:54

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે.. અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા પણ જોવા મળે છે.. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ખુરશી ખાલી જોઈ તેમને પિત્તો ગયો અને તે બગડ્યા છે.. આખી વાત એમ હતી કે રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સ્પીચ ચાલી રહી હતી અને એક એક કરી લોકો ઉઠીને જવા લાગ્યા.. તે વખતે સાંસદ ગુસ્સે થઈ ગયા..

વિકાસ સપ્તાહની થઈ રહી છે ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.. અનેક શહેરોમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે આ કાર્યક્રમનું આયોજન ભરૂચના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.. 




મનસુખ વસાવા બગડ્યા! 

કાર્યક્રમમાં આવેલા લોકો ધીરે ધીરે કરી જવા લાગ્યા તેને જોઈ સાંસદનો પિત્તો ગયો અને તે ગુસ્સે થઈ ગયા.. તેમણે કહ્યું કે વિકાસની વાતો થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે.. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમ જતા નથી..તે સિવાય પદાધિકારીઓ માટે પણ તેમણે વાત કરી હતી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.