ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બિસ્માર રસ્તાઓ મુદ્દે સરકારને લખ્યો પત્ર, જાણો શું રજુઆત કરી


  • Published By :
  • Published Date : 2023-10-20 16:00:07

ગુજરાતમાં બિસ્માર રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાજ્યના તુટેલા રસ્તાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો પણ હજુ પણ રસ્તાઓની હાલતમાં કોઈ સુધારો થયો છે. રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં તો રસ્તાનો સ્થિતી સૌથી વધુ ખરાબ છે. આ મુદ્દે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ પણ કર્યું છે.


મનસુખ વસાવાએ શું રજુઆત કરી?


ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર થી નેત્રંગ,અંકલેશ્વરથી ઉમલ્લા, ભરૂચ થી ગુમાનદેવ તથા ભરૂચ થી દહેજ, ભરૂચ થી જંબુસર, આમોદથી કરજણ તથા જિલ્લા પંચાયતના રસ્તાઓ ભારે વરસાદથી ખુબ જ મોટા પાયે તૂટી ગયા છે, ઠેર ઠેર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, તે તાત્કાલીકથી નવા બનાવવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ચોમાસામાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ સહિત અનેક ગામના માર્ગ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર – વાલિયા અને નેત્રંગમાં અતિવ્યસ્ત રોડ ઉપરથી વાહનો પસાર થાય ત્યારે  ઊડતી ધૂળને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં કોંગ્રેસ હવે આ મુદ્દે  મામલે આંદોલન કરી રહી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.