ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બિસ્માર રસ્તાઓ મુદ્દે સરકારને લખ્યો પત્ર, જાણો શું રજુઆત કરી


  • Published By :
  • Published Date : 2023-10-20 16:00:07

ગુજરાતમાં બિસ્માર રસ્તાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાજ્યના તુટેલા રસ્તાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો પણ હજુ પણ રસ્તાઓની હાલતમાં કોઈ સુધારો થયો છે. રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં તો રસ્તાનો સ્થિતી સૌથી વધુ ખરાબ છે. આ મુદ્દે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ પણ કર્યું છે.


મનસુખ વસાવાએ શું રજુઆત કરી?


ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર થી નેત્રંગ,અંકલેશ્વરથી ઉમલ્લા, ભરૂચ થી ગુમાનદેવ તથા ભરૂચ થી દહેજ, ભરૂચ થી જંબુસર, આમોદથી કરજણ તથા જિલ્લા પંચાયતના રસ્તાઓ ભારે વરસાદથી ખુબ જ મોટા પાયે તૂટી ગયા છે, ઠેર ઠેર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે, તે તાત્કાલીકથી નવા બનાવવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ચોમાસામાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ સહિત અનેક ગામના માર્ગ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર – વાલિયા અને નેત્રંગમાં અતિવ્યસ્ત રોડ ઉપરથી વાહનો પસાર થાય ત્યારે  ઊડતી ધૂળને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં કોંગ્રેસ હવે આ મુદ્દે  મામલે આંદોલન કરી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.