Bharuch Loksabha બેઠક પર ત્રિ પાંખીયો જંગ, BAPના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર, Chaitar Vasava પણ હતા હાજર? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 17:08:43

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમય પહેલા છોટુ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા બેઠક પર તેમની પાર્ટી BAP પણ ઉમેદવારને ઉતારશે ચૂંટણી લડવા.. તે બાદ દિલીપ વસાવાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કરવામાં આવી અને હવે તેમણે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરી દીધું છે.. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ચૈતર વસાવા પણ તેમની સાથે દેખાયા હતા...

બાપના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ થવાનો છે.. પરંતુ અનેક બેઠકો છે જ્યાં ત્રિ પાંખીયો જંગ થવાનો છે... ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે... બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે જ્યારે આજે છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે... છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી કે તે ઉમેદવાર ઉતારશે...


શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી

ભરૂચ લોકસભા બેઠક એમ પણ ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે... મનસુખ વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. તે સિવાય જ્યારે ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામતા આ બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે તેવું લાગી રહ્યું છે...        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.