Bharuch Loksabha : Vasava Vs Vasavaનો જંગ, Chaitar Vasavaએ કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-03-07 13:06:13

ભરૂચ લોકસભા બેઠકને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આમ આદમી પાર્ટી તરફ લોકસભાના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભરૂચ લોકસભામાં આ વખતે વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીને લઈ શાબ્દિક પ્રહારો થવાના શરૂ થઈ ગયા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક બીજા માટે અનેક વખત નિવેદનો આપતા હોય છે ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને લઈ વાત કરી છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે  દાદાને હવે આપણે આરામ આપીએ એમને રિટાયર્ડ કરવાના છે. 

એવું મનાતું હતું કે મનસુખ વસાવાને નહીં કરવામાં આવે રિપીટ!

ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરપ્રાઈઝ મળી શકે છે ઉમેદવારોના નામને લઈ. પરંતુ આ વખતે કોઈ મોટો સરપ્રાઈઝ પાર્ટીએ નથી આપ્યો પરંતુ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ થઈ રહી હતી કે મનસુખ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને 8મી વખત ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. 


ભરૂચમાં જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ભરૂચ લોકસભા માટે તેઓ ભાજપના ઉમેદવાર છે જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હવે તે લોકસભાના ઉમેદવાર. પહેલા પણ અનેક વખત ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવતા હતા ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર નિશાન સાધ્યું છે.

દાદાને આપણે આરામ આપીએ - ચૈતર વસાવા

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ભરૂચમાં સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું. અનેક વિસ્તારોમાંથી આ યાત્રા ફરી હતી અને ચૈતર વસાવાએ જનસભાને પણ સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જેલની વાત કરી, મનસુખ વસાવાને લઈ પણ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે ચૈતર વસાવા એવું કહેવા માગતા હતા કે મનસુખ વસાવાને હરાવવા જોઈએ! પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દાદાને આપણે આરામ આપીએ, એમને રિટાયર્ડ કરવાના છે. આવનાર સમયમાં ચૈતર વસાવા આરામ કરે છે કે મનસુખ વસાવા આરામ કરે છે તે મતદાતાઓ પર નિર્ધારિત છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.