Bharuch લોકસભા બેઠક રહેશે રસપ્રદ! Mansukh Vasavaએ ફરી એક વખત Chaitar Vasava માટે આપ્યું નિવેદન, જાણો આ વખતે શું નવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-12 15:03:56

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રાજનીતિમાં રોજ એક નવો ભૂકંપ આવે છે, ભરૂચ લોકસભા સીટને લઈ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે. મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. તે ઉપરાંત ભરૂચમાં ત્રીજા વસાવા પણ છે અને તે છે છોટુ વસાવા. ગઈકાલે જ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક માટે જેટલી પણ ગણતરીઓ હતી એ બધી ખોરવાઈ ગઈ છે અને અધૂરામાં પૂરું બીજો ઝટકો છોટુભાઈ વસાવા પણ આપવા જઈ રહ્યા છે.

ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન!

ચૈતર વસાવા અનેક વખત મનસુખ વસાવાને લઈ નિવેદન આપતા હોય છે તો કોઈ વખત મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈ નિવેદન આપતા હોય છે. ત્યારે મનસુખ વસાવા માટે પકડાર પણ ઉભો થઈ શકે છે કારણ કે છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે જૂનો અને હમેશા ટ્રેન્ડમાં રહતો વિષય વસાવા vs વસાવા ફરી એક વાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું 'ચૈતર વસાવા કાગનો વાઘ છે, એ હારવાનો જ છે' સાથે જ તેમણે કહ્યું કે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાવાથી ભાજપ ભરૂચ બેઠક મજબૂત થશે. 

 

ગઈકાલે મહેશ વસાવા જોડાયા હતા ભાજપમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા છોટુ વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે ભાજપમાં જઈ રહેલા નેતા માટે નિવેદન આપ્યું હતું. ગઈ કાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે બાદ તે ભડક્યા હતા. પુત્ર ભાજપમાં જતાં રોષે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે,ભાજપમાં બધા કોઢ ઊંદરો ભરતી થઇ રહ્યા છે. જે ભાજપને ખતમ કરી નાખશે. એમ આડ કતરી રીતે પોતાના પુત્રને પણ છોટુભાઈ વસાવાએ કોઢ ઉંદર કહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકની જંગ રસપ્રદ રહેશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.