Bharuch : 6 જૈન સાધ્વીજી ભગવંતને પહોંચાડી ઈજા! વિહાર કરી રહેલા સાધ્વી ભગવંતો પર કમરપટ્ટા વડે કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2024-05-28 19:01:14

ભરૂચથી એક સમાચાર સામે આવ્યા જેણે વિચારવા પર મજબૂર કર્યા કે આપણે આપણા સમાજને કયાં લઈ જઈ રહ્યા છીએ.. આપણે ત્યાં સાધુ, સાધ્વી, મહારાજ જેવા ધાર્મિક ગુરૂઓને સન્માન આપીએ છીએ.. તેમને આદરથી જોઈએ છીએ. ભરૂચથી જે સમાચાર આવ્યા તેમાં જૈન મહિલા પર હુમલો કરવામાં આવ્યો.. ભરૂચમાં થામ-ડેરોલ હાઇવે પર ચાલતી જૈન મહિલા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી પર પટ્ટાથી હુમલો કરાયો. આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે અને આ મામલે  હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસની ગિરફ્તમાં છે..


સાધ્વીઓને પટ્ટાથી મારવામાં આવ્યો માર!

આપણે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે રસ્તા પર ચાલતા અનેક જૈન સાધવીઓ દેખાતા હશે.. જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણે તેમનું આદર કરતા હોઈએ છીએ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સાધ્વીઓ પર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હોય? જવાબ હશે ના.. પરંતુ ભરૂચથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૈન સાધ્વીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ભરૂચના શ્રીમાળી પોળથી સોમવારે મળસ્કે 4.30 વાગ્યે 6 જૈન સાધવીઓ પદયાત્રા શરૂ કરે છે. દાંડી રોડ પર દેરોલ ગામ તરફ જઈ રહ્યા હતા. 


પોલીસ દ્વારા લેવાયા પગલા 

આ દરમિયાન મહંમદપુરાથી જ્યારે સાધવીઓ પસાર થયા ત્યારે ત્યાંથી તે વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો.. દેરોલ ચોકડી પાસે જ્યારે તે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સાધ્વીઓને રોક્યા અને તેમને મા બેનની ગાળો બોલી. તેમજ ઝપાઝપી પણ કરી. ઝપાઝપી થતા સાધ્વીને ઈજા પહોંચી તેમજ કમરપટ્ટાથી માર માર્યો. હાથ પગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી.. મદદ માટે ત્યાં હાજર લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો.. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.