Bharuch : 6 જૈન સાધ્વીજી ભગવંતને પહોંચાડી ઈજા! વિહાર કરી રહેલા સાધ્વી ભગવંતો પર કમરપટ્ટા વડે કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2024-05-28 19:01:14

ભરૂચથી એક સમાચાર સામે આવ્યા જેણે વિચારવા પર મજબૂર કર્યા કે આપણે આપણા સમાજને કયાં લઈ જઈ રહ્યા છીએ.. આપણે ત્યાં સાધુ, સાધ્વી, મહારાજ જેવા ધાર્મિક ગુરૂઓને સન્માન આપીએ છીએ.. તેમને આદરથી જોઈએ છીએ. ભરૂચથી જે સમાચાર આવ્યા તેમાં જૈન મહિલા પર હુમલો કરવામાં આવ્યો.. ભરૂચમાં થામ-ડેરોલ હાઇવે પર ચાલતી જૈન મહિલા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી પર પટ્ટાથી હુમલો કરાયો. આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે અને આ મામલે  હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસની ગિરફ્તમાં છે..


સાધ્વીઓને પટ્ટાથી મારવામાં આવ્યો માર!

આપણે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે રસ્તા પર ચાલતા અનેક જૈન સાધવીઓ દેખાતા હશે.. જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણે તેમનું આદર કરતા હોઈએ છીએ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સાધ્વીઓ પર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હોય? જવાબ હશે ના.. પરંતુ ભરૂચથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૈન સાધ્વીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ભરૂચના શ્રીમાળી પોળથી સોમવારે મળસ્કે 4.30 વાગ્યે 6 જૈન સાધવીઓ પદયાત્રા શરૂ કરે છે. દાંડી રોડ પર દેરોલ ગામ તરફ જઈ રહ્યા હતા. 


પોલીસ દ્વારા લેવાયા પગલા 

આ દરમિયાન મહંમદપુરાથી જ્યારે સાધવીઓ પસાર થયા ત્યારે ત્યાંથી તે વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો.. દેરોલ ચોકડી પાસે જ્યારે તે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સાધ્વીઓને રોક્યા અને તેમને મા બેનની ગાળો બોલી. તેમજ ઝપાઝપી પણ કરી. ઝપાઝપી થતા સાધ્વીને ઈજા પહોંચી તેમજ કમરપટ્ટાથી માર માર્યો. હાથ પગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી.. મદદ માટે ત્યાં હાજર લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો.. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.