ભાજપના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો, પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-04-05 22:15:11

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આજે પાર્ટીએ મહત્વનો નિર્ણય લેતા ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. ભાર્ગવ ભટ્ટ મધ્ય ઝોનની જવાબદારી સંભાળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે સમગ્ર ગુજરાત પ્રદેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભાર્ગવ ભટ્ટની પાર્ટીની સંગઠનમાંથી હકાલપટ્ટીના કારણે  ભાજપનું આતરિક રાજકારણ ખુલીને બહાર આવ્યું છે.


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી શા માટે?


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી અંગે ભાજપના આંતરિક વર્તુળમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આ તમામ ચૂંટણીઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાનિક કક્ષાએથી પાર્ટીને હાઈ કમાન્ડને ભાર્ગવ ભટ્ટના વિરોધમાં ફરિયાદો મળતી હતી અને તે જ કારણોસર ભાર્ગવ ભટ્ટને હટાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 


ભાર્ગવ ભટ્ટને સરકારમાં મળશે જવાબદારી


ભાર્ગવ ભટ્ટને ભાજપ સંગઠનમાંથી હટાવીને સરકારમાં જવાબદારી સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની છે ત્યારે ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવે તે માટે હાલ તેમને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવું પણ પાર્ટીના કેટલાક સુત્રોનું માનવું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.