BharatPeના અશનીર ગ્રોવર અને પત્નીને અમેરિકા જતા દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા, આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-11-17 16:16:25

ફિનટેક ફર્મ ભારત-પેના કો-ફાઉન્ડર (BharatPe Co-Founder) અશનીર ગ્રોવર  (Ashneer Grover)ને લઈનો મોટા સમાચાર આવ્યા છે. અશનીર ગ્રોવરને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેઓ તેમની પત્ની માધુરી જૈન સાથે અમેરિકાના ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા રોકી દેતા મામલો ગરમાયો છે. 


શા માટે રોકવામાં આવ્યા?


અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન સામે દિલ્હી પોલીસ દ્વારા એક લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ ન્યૂયોર્ક માટે રવાના થવાનું જ હતું, પરંતું IGI Airport પરથી જ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા હતા. 


પતિ-પત્ની સામે દાખલ થઈ છે FIR


અશનીર ગ્રોવર અને તેમની પત્ની સામે જૂન 2023ના રોજ એક એફઆઈઆર દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભારત પે ચલાવતી કંપની રેજિલિયેન્ટ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ (RIPL)ને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા અને પૈસાનો કથિત દુરપયોગ કરવાના મામલે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની તપાસમાં પણ ભારત પે ના સંચાલન દરમિયાન નાણાકિય છેતરપિંડીનો ખુલાસો થયો હતો. માત્ર અશનીર અને તેની પત્ની જ નહીં પણ તેમના પરિવારજનો સામે પણ ફરિયાદ થઈ છે. જેમાં દીપક ગુપ્તા, સુરેશ જૈન અને સ્વેતાંક જૈનનો સમાવેશ થાય છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.