Congressની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટી યોજશે તિરંગાયાત્રા.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-06 13:38:29

કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે ન્યાય યાત્રા કાઢે એ સ્વાભાવિક છે પણ હવે એની સામે સરકાર પણ યાત્રા કાઢવાની છે. ભાજપ આવનાર દિવસોમાં યાત્રા કાઢવાની છે. તિરંગા યાત્રા કાઢવાનું આયોજન ભાજપ કરી રહ્યું છે.  



કોંગ્રેસની યાત્રા સામે ભાજપ કાઢશે યાત્રા 

યાત્રા કાઢવાની વાત આવે ત્યારે આપણા મનમાં કોંગ્રેસનો ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ સવાલો કરે સત્તા પક્ષ ઇગ્નોર કરે વિપક્ષ કોઈ યાત્રા કાઢે તો એને ઇગ્નોર કરે પણ કદાચ પ્રથમ વખત  વિપક્ષની યાત્રા સામે ભાજપ યાત્રા કાઢવાની છે. પીડિતોને ન્યાય અપાવવાના આશયથી કોંગ્રેસ આવતી 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા મુદ્દે લોકોની સહાનુભૂતિ મેળવવા યોજાયેલા આ કાર્યક્રમની સામે રાજ્ય સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. 




યાત્રાની શરૂઆત થશે રાજકોટથી 

આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબરૂપે હશે. જેમાં કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે. યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જ્યારે તે પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આ યાત્રા યોજાશે. જો કે આ કાર્યક્રમમાં હાજર રહેનારા કોઇ નેતાઓ ભાષણ નહીં કરે, ફક્ત રાજકોટમાં શરૂઆત થાય ત્યારે સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં મંચ પરથી સંબોધન કરી શકે છે. 



આ યાત્રામાં આકર્ષણના અનેક કેન્દ્રો હશે

આ યાત્રામાં ઘણાં આકર્ષણો હશે, જેમાં દેશભક્તિ ધરાવતાં ટેબ્લો ઉપરાંત વિવિધ સંગીત બેન્ડ, ડાન્સ ટ્રુપ્સ, કલાકારો, રમતવીરો, રંગોળી સહિતની ચિત્રવિચિત્ર ઝાંખીઓ હશે. બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં યોજાતા કાર્નિવલની તર્જ પર તેનું આયોજન કરવાનો વિચાર છે. જોકે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે અને તે 22 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને મંજૂરી આપવા માટે જણાવ્યું છે. ન્યાય યાત્રાના આયોજનમાં ખોટું ઘર્ષણ ઊભું ન થાય તે હેતુથી આ મંજૂરી અત્યારથી જ અપાઇ ગઇ છે તો હવે કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રામાં શું થાય છે તે જોવાનું રહ્યું..  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .