સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી કરતી પોતાનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 13:33:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપ અનેક રીતે પોતાનો પ્રચાર કરી રહી છે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવાની શરૂઆત કરી દીધી છે. એક બાદ એક ફોટો ટ્વિટ કરાયા છે તેમજ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, ખેડૂતોને સરકાર દ્વારા મળેલા લાભ, સરકાર દ્વારા પૂરા કરવામાં આવેલા કામો સહિતના મુદ્દાઓને લઈ ભાજપે ટ્વિટ કર્યું છે.

Image

Image


અનેક યાત્રાધામનો કરાયો છે વિકાસ - ભાજપ

ભાજપે આવા અનેક ફોટો શેર કર્યા છે જેમાં ભાજપ દ્વારા વિકસિત કરવામાં આવેલા ટુરિસ્ટ સ્પોટ, યાત્રા ધામનો કરવામાં આવેલો વિકાસ તેમજ શિક્ષણને લઈ ભાજપે ટ્વિટ કરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક યાત્રા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને પણ ભાજપે ગણાવ્યું છે. ભાજપે લખ્યું કે ભાજપના સુશાસનમાં દેશભરના અનેક યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે. 

Image

 

શું પ્રચાર ભાજપ માટે થશે ઉપયોગી?

ભાજપ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રયાર ભાજપને મતદાનમાં ઉપયોગી થશે કે નહીં કે 8 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે 8 ડિસેમ્બરના રોજ કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.  



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે