અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે ખેંચતાણ. કોંગ્રેસના પરેશ ધાનાણીને કોણ પડકાર આપશે?


  • Published By :
  • Published Date : 2022-10-30 15:31:41

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જુથવાદ વકર્યો છે. ભાજપના નેતાઓ ટિકિટ માટે જે રીતે ખેંચતાણ કરી રહ્યા છે. અમરેલી વિધાનસભા સીટ માટે જે રીતે બાખડી રહ્યા છે તે જોતા ભાજપ આ ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીને પડકાર આપી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ બેઠક પર ધાનાણીને હરાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં ભાજપમાં અંદરો અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી સીટ માટે ભાજપની ટિકિટ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. આ બેઠક માટે કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીનું નામ લગભગ ફાઈનલ છે.


ભાજપમાંથી અનેક ટિકિટ વાંચ્છુઓ


અમરેલી સીટ માટે ભાજપના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છેલ્લાં 5 માસથી પુત્ર મનીષ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીને ટિકિટ અપાવવા માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. દિલીપ સંઘાણીની જેમ PM મોદીના ખાસ મનાતા ડૉ. ભરત કાનાબારે પણ અમરેલીથી ટિકિટ માગી છે. અમરેલીમાં ડો. ભરત કાનાબાર વિશ્વાસુ નેતા છે, તેમની સર્વ સમાજના નેતા તરીકેની ઓળખ છે. તે ઉપરાંત કૌશિક વેકરિયા પણ લાઈનમાં છે, તેમને બાવકું ઉઘાડ અને પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.