ભારત જોડો યાત્રા કરશે જમ્મુ -કાશ્મીરમાં એન્ટ્રી, સ્વાગતમાં હશે અનેક નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:37:44

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુ-કાશ્મીર પહોંચવાની છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પોતાના અંતિમ પડાવ પર આજે પહોંચવાની છે. મળતી માહિતી અનુસાર કઠુઆ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. યાત્રા પઠાણકોટથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે.   

ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ;  અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક | DeshGujarat

આજે જમ્મુ-કાશ્મીરમાં થશે યાત્રાની એન્ટ્રી 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આજે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે. 

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે યાત્રા 

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રભારી રજની પટેલે જણાવ્યું હતું કે ફારૂક અબદુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગીમી અને શિવસેના નેતા સંજય રાઉત રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. 30 જાન્યુઆરીના રોજ એક વિશાલ રેલી નિકળશે અને તે બાદ યાત્રાનું સમાપન થશે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.