એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી ભારત જોડો યાત્રા, જાણો કેમ આગળ ન વધી યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-27 17:05:49

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમની યાત્રા 30 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે ફરી એક વખત આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી આ યાત્રાને રોકી દેવાઈ છે. રાહુલ ગાંધીની યાત્રામાં અનેક લોકો આવી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. બનિહાલમાં પોલીસ દ્વારા ભીડ નિયંત્રીત કરવામાં આવી ન હતી.


રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

જમ્મુ-કાશ્મીર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. ત્યારે જમ્મુમાં રાહુલ ગાંધીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. તેમજ ભીડને નિયંત્રીત કરવામાં પણ ન આવી હતી. યાત્રામાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા. 



લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે