ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોકાઈ ગઈ ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-25 16:03:50

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે.  તેમની યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સંપન્ન થવાની છે. ત્યારે ભારે વરસાદને કારણે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રામબનમાં ભારે વરસાદ થવાને કારણે હવે આ યાત્રા પોતાનો સફર 27 તારીખે શરૂ કરશે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. 


અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે યાત્રા   

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીર ખાતે આ યાત્રા પૂરી થવાની છે. આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા ચાલી રહી છે. યાત્રાનો આજે 131મો દિવસ છે. આ યાત્રા અનેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થઈ છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થવાની છે.


ભારે વર્ષાને કારણે યાત્રા કરાઈ સ્થગિત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા તેમજ વર્ષા થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારે વર્ષા થઈ રહી છે. ભારે વર્ષા થવાને કારણે રાહુલ ગાંધીની યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. 27 જાન્યુઆરી સવારે 8 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થશે. શ્રીનગર ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.