રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનો થશે પ્રારંભ, ગુજરાતથી મેઘાલય સુધી કરશે પદયાત્રા


  • Published By :
  • Published Date : 2023-08-08 18:59:07

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પદયાત્રાની શરૂઆત કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ આપેલી જાણકારી મુજબ કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય સુધી યોજાશે. આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.


આગામી મહિને થશે યાત્રાનો શુભારંભ


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો આગામી મહિનાથી જ શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યાત્રાના પહેલા તબક્કામાં કોંગ્રેસના નેતાઓ ગરીબ અને જમીન સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક કરશે. આ યાત્રાનો હેતું ગરીબો, ખેડૂતો અને કામદારોની સમસ્યાઓની સમસ્યાઓ સમજવાનો છે. યાત્રાના પહેલા તબક્કા દરમિયાન રાહુલ ગાંધીએ 150થી વધુ દિવસ સુધી 14 રાજ્યોની પદયાત્રા કરી હતી. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.