Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiની સુરક્ષાને લઈ Mallikarjun Khargeએ લખ્યો Amit Shahને પત્ર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 11:06:09

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ છે. યાત્રા દરમિયાન અનેક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર તેમજ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા ઝપાઝપી બાદ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી છે. 

કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ

આગમી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. થોડા વખત પહેલા ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી હતી. યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. 

અમિત શાહને મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પત્ર

યાત્રા દરમિયાન પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી હતી તે વખતે પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને પત્ર લખ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.