Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiને મંદિર જવાથી રોકવામાં આવ્યા, નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 11:08:12

અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અનેક મોટી મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ધાટન નથી, આ આર.એસ.એસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ!

ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ હતી. આ યાત્રા આસામ પહોંચી છે. યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. અનેક નિવેદનો આપ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા તેમને મંદિરમાં જવાની અનુમતી મળી હતી પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી તે શંકરદેવ મંદિર છે. આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા.

આ મામલે મંદિર પ્રશાસન દ્વારા શું કહેવાયું?    

મંદિર પ્રશાસન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અંગેની માહિતી રવિવારે જ આપી દેવામાં આવી હતી. સમિતીના મુખ્ય જોગેન્દ્ર દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.