Bharat Jodo Nyay Yatra : Arunachal Pradeshમાં BJP પર Rahul Gandhiએ કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 18:47:44

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે આ યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી. મણિપુરમાં જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી તે વખતે તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી આવતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદી પર તેમણે પ્રહાર કર્યા હતા. મીડિયા પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

મીડિયા પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર!

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દેશના અનેક રાજ્યોમાંથી આ યાત્રા નીકળવાની છે. પીએમ મોદી તેમજ ભાજપ પર તેમણે પ્રહાર કર્યા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જનસંબોધન કરતી વખતે તેમણે પીએમ મોદીની સાથે સાથે મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મીડિયા વિરોધનો અવાજ ઉઠાવે છે, પરંતુ આજે ભાજપ-આરએસએસે મીડિયાને કબજે કરી લીધું છે. તેઓ તમામ મીડિયા સંસ્થાઓ પર દબાણ લાવે છે અને તેમને જાહેર મુદ્દા ઉઠાવતા અટકાવે છે. જનતાના પ્રશ્નો ઉઠાવવાનો આ એકમાત્ર રસ્તો છે, તેથી જ અમે આ યાત્રા શરૂ કરી છે.     


અરૂણાચલ પ્રદેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી - રાહુલ ગાંધી

વધુમાં તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. તમે ટેક્સ ભરો છો, પરંતુ તમને તેનો લાભ મળતો નથી. રસ્તામાં ખાડા છે, રોડ નથી. અમારો ઉદ્દેશ્ય તમારા દિલનો અવાજ અને મુશ્કેલીઓ સાંભળવાનો છે અને પછી તેને સંસદમાં ઉઠાવીને દેશને જણાવવાનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. તે યાત્રાને સારૂં જનસમર્થન મળ્યું હતું. લોકસભા પહેલા રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે ત્યારે જોવું રહ્યું કે આ યાત્રા ચૂંટણી પરિણામ પર અસર કરે છે કે નહીં? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.