Bharat Jodo Nyay Yatra : Manipurમાં Rahul Gandhiએ PM Modi પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યું કે પીએમ મોદી આજ સુધી મણિપુર....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 09:34:38

થોડા સમય પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ હતી અને રાહુલ ગાંધીની આ યાત્રાને સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. આ યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી છે. મણિપુરમાં એક જાહેર સભા રાહુલ ગાંધીએ સંબોધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા શાબ્દિક પ્રહાર 

મણિપુરમાં હિંસા દિવસેને દિવસે વધી રહી છે. માહોલ શાંત થવાની જગ્યાએ ઉગ્ર બની રહ્યો છે. હિંસાના સમાચાર મણિપુરથી અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. 14 જેટલા રાજ્યોમાંથી આ યાત્રા પસાર થવાની છે ત્યારે આ યાત્રા મણિપુર પહોંચી હતી. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ તેમજ મણિપુરમાં પીએમ મોદી નથી ગયા તેને લઈ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. 

પીએમ મોદીને મણિપુર જવાનો સમય નથી - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને મણિપુર જવાનો સમય નથી મળ્યો. ભાજપ-આરએસએસ માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે 29 જૂન બાદ મણિપુરમાં શાસન વ્યવસ્થાનું સમગ્ર માળખું ધ્વસ્ત થઇ ગયું છે. સમગ્ર રાજ્યમાં નફરત ફેલાઈ ગઇ છે. આજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય મળ્યો નથી. કદાચ તેઓ મણિપુરને ભારતનો ભાગ જ માનતા નહિ હોય. ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા માટે લોકોએ અલગ અલગ વિચારો આપ્યા. કોઈએ કહ્યું પૂર્વથી શરૂ કરો, કોઇએ કહ્યું પશ્ચિમથી શરૂ કરો. પરંતુ મેં કહ્યું હતું કે યાત્રા તો મણિપુરથી જ શરૂ થશે.    



છેલ્લા અનેક મહિનાઓથી મણિપુરમાં ભડકી છે હિંસા 

મહત્વનું છે મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યો છે કે પીએમ મોદી શા માટે હજી સુધી મણિપુરની મુલાકાતે નથી ગયા? મણિપુર માટે નિવેદન પણ પીએમ મોદીએ નથી આપ્યું. મણિપુર મુદ્દે પીએમ મોદી શા માટે શાંત છે તેવા અનેક પ્રશ્ન કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે..  



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.