દેશની સોપ્રથમ નેઝલ રસીને મળી DCGIની મંજૂરી, ઈન્જેક્સનથી મળશે છુટકારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 17:43:27

કોરોના રોગચાળા સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની સૌપ્રથમ નેઝલ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ  નેઝલ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે દેશની આ સૌપ્રથમ નેઝલ વેક્સિન છે. આ રસી નાક દ્વારા આપવામાં આવશે.

                                                                   

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રિકોમ્બિનેટ નેઝલ વેક્સનીને કટોકટીની સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વપરાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.


ડો. મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે આ પગલું રોગચાળા સામેની અમારી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયાસથી અમે કોવિડ-19ને હરાવીશું.


 નેઝલ વેક્સિનના ફાયદા


ઈન્જેક્સનથી મળશે છુટકારો

નાકના અંદરના ભાગમાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ લેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે

ઈન્જેક્સનથી છુટકારો થવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેનિંગની જરૂર નથી

બાળકોનું રસીકરણ કરવું બનશે સરળ

ઉત્પાદન સરળ થવાથી દુનિયાભરમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય શક્ય બનશે



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.