ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો, ગ્રાહકના અભાવે કોવેક્સીનના 5 કરોડ ડોઝ નકામા થશે


  • Published By :
  • Published Date : 2022-11-06 17:46:21


ભારતમાં કોરોના કાળ દરમિયાન કરોડો લોકોએ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીનના ડોઝ લઈને નવજીવન મેળવ્યું હતું. જો કે હવે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે કોવેક્સીન રસીની નિર્માતા કંપની ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે. રસીની (Vaccine) માગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા જ કોવેક્સીનનું ઉત્પાદન રોકી દેવામાં આવ્યું હતું.


કોવેક્સીન રસીનો કોઈ ગ્રાહક નથી


કોરોનાની વિદાય બાદ રસીની માંગ ઘટી છે, ઓછી માગને કારણે રસીનો કોઈ ગ્રાહક નથી, જેથી ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ 5 કરોડ ડોઝ વેચાણ વગર પડી રહ્યા છે. શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમય મર્યાદા 2023ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે. આ વર્ષની શરૂઆતમાં, ભારત બાયોટેકે રસીની ઓછી માગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે 2021ના ​​અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના 20 કરોડથી વધુ ડોઝ છે અને બોટલમાં લગભગ 5 કરોડ ડોઝ ઉપયોગ માટે તૈયાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.