રાજ્યના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા Rajkot Fire Accident મામલે મૌન, Parshottam Rupalaએ તો પત્રિકાર પરિષદ પણ કરી પણ તેમણે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 11:14:43

નેતાઓને જનપ્રતિધિ કહેવામાં આવે છે, અનેક લોકો નેતાઓને, ધારાસભ્યો, સાંસદોને જનસેવક પણ કહેતા હોય છે.. કદાચ નેતાઓ પણ અનેક વખત કહેતા હોય છે કે અમે તો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ.. જે પ્રજાએ તમને ચૂંટીને આગળ મોકલ્યા છે તેમની શું જવાબદારી નથી કે રાજ્યમાં કોઈ ઘટના બને તો સામે આવીને એટલિસ્ટ કોઈ પ્રતિક્રિયા આપે, સંવેદના વ્યક્ત કરે.. સામાન્ય માણસોમાં આ સહાનુભૂતિની લાગણી હોય છે પરંતુ કદાચ નેતાઓમાં રહેલી સંવેદનાઓ મરી પરવારી લાગે છે..

ભાનુબેન બાબરીયા સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે.. 

રાજકોટમાં જે ઘટના બની તે મામલે અનેક નેતાઓએ મૌન સાધ્યું છે, પરષોત્તમ રૂપાલા ક્યાં છે તે સવાલ પૂછાયા, પરંતુ આ બધામાં આપણે ભાનુબેન બાબરીયાને તો ભૂલી જ ગયા.. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમને આપવામાં આવ્યું તે જ મંત્રી જ્યારે આવી દુર્ઘટનાઓને લઈ મૌન સેવી લે તો? રાજકોટમાં જે ઘટના બની તે મામલે ભાનુબેન બાબરીયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.. કંઈ ના કરી શકે તો પણ atleast સામે આવીને સહાનુભૂતિના બે શબ્દો તો કહેવા જોઈને? આટલા લોકો આટલા બાળકો, લોકો મોતને ભેટ્યા પરંતુ તેઓ આટલા દિવસો વીતિ ગયા પરંતુ તે સામે આવ્યા નથી..  જમાવટની ટીમે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેમણે આ ઘટના લઈ બોલવાનું ટાળ્યું હતું.. 


પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર ભાગ્યા!

સ્ત્રી લાગણીઓને, પીડાઓને સારી રીતે સમજી શકે છે તેવું માનવામાં આવે છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી છે આખી કેબિનેટમાં.. એક જ મહિલા છે તો પણ તે આ મામલે મૌન સાધીને બેઠા છે.. મંત્રીજીનું મૌન અમને ખટકે છે.. શું તેમની જવાબદારી ન હતી કે તે સામે આવીને આ મામલે બોલે? આવી ઘટનાઓ થાય ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને સવાલ થાય.. સવાલોનો જવાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને સવાલોનો સામનો કરવો પડે, સવાલ સાંભળ્યા પછી જવાબ આપવો તેમની ફરજમાં આવે છે.. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે અનેક સવાલો ઉભા કરે તેવા હતા. જવાબ આપ્યા વગર તે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી જતા રહ્યા..   


આખી ઘટનાને લઈ મૌન સાધ્યું ભાનુબેન બાબરિયાએ   

શું મંત્રીજીની જવાબદારીમાં ન આવતું હતું કે આ ઘટનાને લઈ તે બોલે? આ ઘટનાને લઈ નિવેદન આપવું તેમના કર્તવ્યમાં ન આવતું હતું? અનેક નેતાઓ પોતાનું કર્તવ્ય ચૂક્યા છે. અને કર્તવ્ય જ્યારે કોઈ ચૂકે છે તો તેને આજે નહીં તો કાલે જવાબ મળતો હોય છે.. જે જે લોકો કર્તવ્ય ચૂક્યા છે તેમને યાદ કરવું પડશે કે સમય કોઈને પણ નથી છોડતો.. અનેક નેતાઓને જાણે ચૂપ રહેવાની ટેવ પડી ગઈ છે.. હવે નેતાઓ કોઈ બદલાવ લાવશે, જનતાનો મુદ્દો ઉઠાવશે જેવી અપેક્ષા રાખવી સામાન્ય માણસોએ છોડી દીધી છે પરંતુ આવી મોટી દુર્ઘટનામાં નેતાઓ બે શબ્દો સંવેદનના કહેશે તેવી આશા તો રાખી જ હોય છે...!આ અપેક્ષા પણ કદાચ માણસોએ માનીને રાખી હશે કે નેતાઓ, ધારાસભ્યો, સાંસદો માણસ છે તેમનામાં પણ સંવેદના જેવું કંઈક હશે એટલે...  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.