પંજાબના CM ભગવંત માને પૂર્વ CM ચન્ની પર ક્રિકેટર પાસે 2 કરોડ માંગવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-31 22:44:14

પંજાબના એક ક્રિકેટરને સરકારી નોકરીના બદલામાં 2 કરોડની લાંચ માંગવાના મામલામાં CM ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીને અલ્ટીમેટમ આપ્યું હતું. બુધવારે તે પૂર્ણ થતાં જ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. ભગવંત માને પંજાબ કિંગ્સના ક્રિકેટર જસ ઈંદર સિંહે અને તેના પિતા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીત સિંહ ચન્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જો કે ચરણજીત સિંહ ચન્ની મીડિયા સમક્ષ હાજર થયા હતા અને માન પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પુરોગામી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાએ ક્રિકેટર જસ ઈન્દર સિંહ પાસેથી તેમને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. માને 22 મેના રોજ ચન્નીના ભત્રીજા જશન પર આરોપો લગાવ્યા હતા, પરંતુ ક્રિકેટરનું નામ લીધું ન હતું. બુધવારે તેણે જસ ઈંદર સિંહે અને તેના પિતા મનજિંદર સિંહને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે CM ભગવંત માને કહ્યું કે તેઓ ધર્મશાલામાં મેચ દરમિયાન જસ ઈંદરને મળ્યા હતા. તેણે કહ્યું કે જસ ઈંદર સિંહે સ્પોર્ટ્સ ક્વોટામાં પેપર આપ્યું હતું પરંતુ પરિણામ સામાન્ય ક્વોટામાં આવ્યું. જ્યારે તેઓ મંત્રીઓ પાસે પહોંચ્યા ત્યારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ હતા તેમણે ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે તમારું કામ થઈ જશે.


જો કે થોડા દિવસો પછી સીએમ બદલાયા અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ બન્યા. જ્યારે ક્રિકેટર જસ ઈંદર સિંહે પોતાનો કેસ તેમની સામે મૂક્યો ત્યારે ચન્ની સાહેબે કહ્યું કે મારા ભત્રીજા જશનને મળો. જ્યારે ક્રિકેટર જશનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે પહેલા 2 કરોડ લાવો, બે દિવસ પછી. જ્યારે જસ ઈંદર સિંહે 2 લાખ રૂપિયા લઈને જશન પહોંચ્યો તો તેણે ગાળો આપી અને કહ્યું કે તેણે 2 કરોડ લાવવાનું કહ્યું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!