ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:34:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આજે બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટી સરકારના પંજાબ અને દિલ્લીના બે મુખ્યમંત્રીઓ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સતત ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે તેઓ ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 


શું લાગે છે આજ વખતે કેજરીવાલ કઈ બાબતે ગેરંટી આપશે?

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે અને કાલે એમ 3 સભાઓ ગજાવશે. આજે બપોરે 3 કલાકે તેઓ ભાવનગરમાં પહોંચશે અને ત્યાં તેઓ જન સંબોધન કરશે. આવતીકાલે મહેસાણાના ઊંઝા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે. મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં આવતીકાલે બપોરે 2 કલાકે પણ સભા સંબોધન કરવામાં આવે. 


આજે ભાજપની પણ ગૌરવયાત્રા

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના શાસનો ગૌરવ લેવા અને લોકોને રીજવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રા, બહુચરાજીથી માતાના મઢ સુધી, દ્વારકાથી પોરબંદર સુધી ગુજરાત ગૌરવ યાત્રા, સંત સવૈયાનાથજીથી ઝાંઝરકાની ગુજરાત ગૌરવ યાત્રા છે.  




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.