ડુંગળી ખરીદીને લઈ ભગવંત માને કરી જાહેરાત, શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો?


  • Published By :
  • Published Date : 2023-02-27 12:21:12

ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ અનેક વખત ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અનેક વખત પૂરતા ભાવ નથી મળતા જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ખેડૂતો પોતાના પાકને નષ્ટ ન કરે.


ડુંગળીના પાકને નષ્ટ ન કરવા ભગવંત માનની અપીલ 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ભાવનગર ખાતે આયોજીત એક સમૂહ લગ્ન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ખેડૂતોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને રજૂઆત કરી હતી કે હજારો-લાખોનો ખર્ચ કર્યા બાદ પ્રતિ કિલો ડુંગળીના અઢીથી ત્રણ રુપિયા ભાવ રહ્યા છે. જેને કારણે ડુંગળીનો નાશ કરવો પડે છે. ખેડૂતોની રજૂઆત બાદ ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ભગવંત માને ખેડૂતોને અપીલ કરી કે 10-15 દિવસ તેઓ ડુંગળીનો નાશ ન કરે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હીની સરકાર રેલવે વેગન મૂકીને ડુંગળીની ખરીદી કરશે.


રાજકારણમાં આવી શકે છે ગરમાવો     

હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમા ભાવ નથી મળી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેઓને નથી મળી રહ્યો. પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં એમ પણ ડુંગળીની ખેતી મુખ્યત્વે થતી હોય છે. ત્યારે ભગવંત માનની જાહેરાત થયા બાદ રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભગવંત માને સાંત્વના આપતા કહ્યું કે તેઓ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરશે. ખેડૂતોને અપીલ કરતા ભગવંત માને કહ્યું કે ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.