ગુજરાતમાં આપનો પ્રચાર કરવા આવેલા ભગવંત માને કર્યા ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-13 16:59:27

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં રેલી તેમજ રોડ-શો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રાજુલા ખાતે રોડ-શો કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.

 

આપણે ટેક્સ ભરીએ છીએ તો પણ સરકારની તિજોરી ખાલી છે - માન  

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં સરકારની તિજોરી ખાલી કેમ છે? આપણા બાળકો માટે એમની તિજોરીઓ ખાલી થઈ જાય છે, જ્યારે પોતાના બાળકો માટે એમની તિજોરીઓ ક્યારેય ખાલી નથી થતી.


હું સત્ય કહેવા આવ્યો છું - ભગવંત માન 

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે તડામાર તૈયારી કરી રહી છે. પ્રચારને લઈ આમ આદમી પાર્ટી પણ કોઈ કોમ્પ્રોમાઈસ કરવા નથી માગતી. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રોડ-શો કરી રહ્યા છે. રોડ-શો દરમિયાન ભગવંત માને કહ્યું કે હું અહિંયા કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો. હું જુઠા સપનાઓ બતાવવા નથી આવ્યો. હું અહિંયા સત્ય કહેવા આવ્યો છું. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

દરેક પાર્ટી ગાઈ રહી છે પોતાના ગુણગાન  

ચૂંટણી નજીક આવતા ભાજપ તેમજ કોંગ્રેસ પણ પોતાના ગુણગાન ગાઈ રહ્યા છે. થોડા સમય બાદ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે આરોપ-પ્રતિઆરોપ તેમજ પ્રચારની મતદારો પર કેટલી અસર થશે તે પરિણામના દિવસે ખબર પડશે.                 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.