ખેડૂતોને પિયત માટે ભાદર -1 ડેમમાંથી છોડાયું પાણી, સૌરાષ્ટ્રના આ તાલુકાઓનાં ધરતીપુત્રોને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-19 14:13:27

રાજ્ય સરકારે ખેડૂતોના કૃષિ પાકને બચાવવા માટે વિવિધ ડેમમાં રહેલું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતોના હિતમાં ભાદર -1 ડેમમાંથી પાણી છોડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -1 માંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.


ખેડૂતોએ પિયત માટે પાણીની કરી હતી માંગણી


સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર 1 ડેમ ની કુલ સપાટી 34 ફૂટ ની ધરાવતો અને 6648 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિ.મી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે.


ઉનાળા માટે 1670 MCFT પાણીનો જથ્થો અનામત


ભાદર 1 ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામાં કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગત નર્મદા પાણીનો આધાર રહેશે. ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે 1000 MCFT પાણી કેનાલ મારફતે આપવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.