'ભા' ગયા 'બા' બાજી મારી ગયા,ભાજપએ 14 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:45:17

ચુંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો ચુંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્રિ પાંખિયા જંગ વચ્ચે ભાજપ ફરી સત્તા હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહી છે ભાજપે પહેલી યાદીમાં જ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં 60 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી 

વઢવાણ - જિગના બેન પંડયા 

રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ ગ્રામીણ - ભાનુ બેન બાબરિયા 

ગોંડલ - ગીતાબા જાડેજા 

જામનગર ઉત્તર - રિવાબા જાડેજા

નાંદોદ - ડો. દર્શનબેન દેશમુખ 

લિંબાયત - સંગીતા બેન પાટિલ 

બાયડ - ભીખી બેન પરમાર 

નરોડા - ડો. પાયલબેન કુકરાની 

ઠક્કરબાપા નગર - કાંચનબેન રાદડિયા 

અસારવા - દર્શનાબેન વાઘેલા 

મોરવા હડફ - નિમિષાબેન સુથાર 

વડોદરા શહેર - મનીશાબેન વકીલ 



રિવાબાને મળી ટિકિટ

જામનગર બેઠક પર હકુભાઈને મોટું માથું ગણવામાં આવે છે. જામનગર ઉત્તરમાંથી હકુભાઈને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. પરંતુ ક્રિમિનલ છબી હોવાને કારણે તેમનું પત્તુ કપાયું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોરોના કાળમાં લોકોની સેવા કરનાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાને ટિકિટ મળવાથી હકુભાની ટિકિટ કપાઈ છે. 


ગીતાબાને રિપીટ કરાયા 

ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.


પ્રથમવાર આ બેઠક પર મહિલા ઉમેદવાર 

નર્મદા જિલ્લાની અનામત બેઠક નાંદોદ પર ડો. દર્શનબેન દેશમુખને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે તેમના પરિવારમાં પણ ઘણા લોકો રાજકારણથી સંકળાયેલા છે આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.